ધાધર,ખરજવું ગમેતેવી ખંજવાળને જડમૂળથી મટાડવા અપનાવો આ ઘરેલું ઉપાય, ખાજ ખુજલીનો કાયમી ઈલાજ

 

 ખાજ ખુજલીનો કાયમી ઈલાજ

 આજે આપણે ચામડીના રોગો ધાધર,ખુજલી,ખાજ જેવા રોગો થી પરેશાન હોવ તો આજે એના વિશે આયુર્વેદિક ઉપસાર વિશે જાણવાના છીએ. અને આપણને ખબરજ સે કે આપણે ધાધર અને ખરજવા થી ઘણા બધા પરેશાન છવી કારણકે તેણે ખંજવાળી ખંજવાળી આપણી ચામડી ને કાળી અને ડાઘ વાળી થય જાય છે અને આપણે તેના દુખાવાથી પણ પરેશાન રેવી છીએ તો આજે તેણે આપણે ઘરેલું ઉપ્સારથી કેવીરીતે દુર કરી શકીએ તેના વિશે આયુર્વેદિક ઉપસાર જાણશું. અને આ બધા ચામડીના રોગો ને મૂળ માંથીજ નાબુદ કરવામાં ફાયદાકારક થશે. ખુલજી થવાનું મુખ્ય કારણ એ હોઈ છે કે જે ચોમાંચામાં આપણા કપડા સુકાતા નથી અને ભેજવાળા રહે છે તેના કારણે તે પહેરવાથી ધાધર,ખુજી જેવા રોગો ઉત્પન થાય છે. 


ચામડીના રોગોથી રાહત કેવીરીતે મેળવી 

ખુજલી દુર કેવી રીતે કરવી 


ખુજલી અથવા કોઈ પણ ચામડીના રોગોથી ખંજવાળ આવતી હોઈ તો તમારે એને દુર કરવા માટે તમારે સૌથી પેલા બે ગોળી કપૂર લેવાનું છે, અને આ કપૂરની ગોળી ને વાટીનાખવાની છે પસી એમાં થોડુક અડધી ચમચી લવિંગનું તેલ અને અડધી ચમચી પીપરનું તેલ લેવાનું છે. હવે આ બધાજ વસ્તુઓને મિકસ કરી લેપ રેખું કરવા માટે ઘાટું બનાવો અને પસી એને તમારે જે જે જગ્યાપર ખુજલી આવે છે તે જગ્યાઉપર તમારે તેનું માલીશ કરવાનનું છે. જેમ જેમ તમે આનો લેપ લગાવશો તેમ તે જગ્યાપર ખુજલી મટી જશે અને જે કાળા ડાઘા પડ્યા હશે તે પણ દુર થય જશે પસી તમને જો ખુજ્લીવાળી જગ્યાપર બળતરા થાય તો તે પણ એકદમ દુર થય જશે. કપૂરની અંદર ઘણા બધા ગુણધર્મ રહેલા હોઈ છે જેના કારણે તમારી ફૂગ્વાળી દુર કરે છે અને આનથી તમને ઘણો ફાયદો થશે.

લીંબોળી અને આકડો 


લીંબડાનું તેલ એટલે કે લીમડાની લીંબોળી નું તેલ તમારે લેવાનું સે અને પસી તમારે તેમાં આકડા નું તેલ આકડા આપણને ગમે ત્યાં મળી રહે છે કારણકે આકડો ગમે ત્યાં મળી રહે એટલે આકડાનું દૂધ કાઢી તેનું દૂધ લેવાનું સે આકડાનું દૂધ તમારે 50 ગ્રામ લેવાનું સે અને એમાં લીંબોળનું તેલ મિકસ કરવાનું સે અને આ બન્નેને ગરમ કરવાનું સે કારણકે આપણે આકડાનું દુધને બાળી અને કાળું કરવાનું છે પસી તેને તમારે ગાળી એક બોટલમાં ભરી લેવાનું છે હવે પસી આને તમારે જે જગ્યાપર ખુજલી અથવા ધાધર જેવી પરેશાની હોઈ ત્યાં તમારે આને લગાવી માલીશ કરવાની છે અને અધ્ધો કલાક અથવા એક કલાક રાખવાનું સે પસી તમારે સ્નાન કરી ધોય નાખવાનું છે.આ રીતે પણ ખુજલી નો સામનો કરી શકો છો.

લીમડાના પાણીથી સ્નાન કરવું 


લીમડાના પાણીથી સ્નાન કરવાથી તમે ઘણા બધા રોગોથી રાહત મેળવી શકો છો અને તમે રોગોથી બચ્ચી પણ શકો છો. લીમડાનું પાણી કેવીરીતે બનાવું સૌથી પહેલા તમારે લીમડાના પાન લેવાના સે અને તેનો લેપ બનાવવા માટે મિક્સરમાં નાખી અને રસ બનાવાનો સે ત્યારબાદ તેને ગરમ કરવાનું સે અને ગરમ થયા બાદ તેણે ગાળી નાખવાનું સે પસી તમારે તે પાણી થી સ્નાન કર્રવાનું છે એટલે તમે ખંજવાળ તથા ધાધર થી પણ પરેશાન હોય તો તમે આ બધા ચામડીના રોગોથી બચ્ચી શકો છો. જો તમારી પાસે લીમડાનો સાબુ હોય તો પણ તમે એનાથી સ્નાન કરી શકો છો.

સહનશક્તિ હોય તેના માટે 


ધાધર અને ખરજવું કે ખંજવાળ આવતી હોય અને અતિશય દુખાવો થતો હોય તો તમે એનાથી દુર થય શકો છો.જો તમારામાં સહનશક્તિ હોય તો તમે આને જડમાંથી દુર કરી શકો છો.જો ધાધર હોય તો એને દુર કરવા તમારે થોડોક સુનો લેવાનો છો અને તેમાં ગોળ લેવાનો છે અને આ બન્નેને મિકસ કરી તેને ધાધર ઉપર ઘસવાનું એટલે માલીશ કરવાનું છે. આ લેપ લગાવશો એટલે તમને વધારે પ્રમાણમાં જલન થશે અને દુખાવો પણ થશે જયારે આ લેપ લગાડશો ત્યારે પણ આને તમે બેથી ચાર વાર કરશો એટલે તમારા ધાધર ને મૂળમાંથી દુર કરશે અને પસી તે જગ્યા પર ધાધર પણ થશે નહી. આ લેપ નાના બાળકો ઉપર ટ્રાઈ કરવું નહી કારણકે તેની બળતરા સૌથી વધારે થશે એટલે આ લેપ નો ઉપયોગ ખાલી મોટા એટલે કે પુખ્તવયની ઉમર વાળા વ્યક્તિએ કરવાનું છે.

Post a Comment

Previous Post Next Post